Books For You

Grow Outward, Grow Inword

“ના” કહેતાં શીખો


“ના” કહેતાં શીખો

રેણું  શરણ
જો તમને ના કહેવામાં તકલીફ પડતી હોય, તો પછી તમારો મહત્તમ સમય બીજા એવા કામો કરવામાં ખર્ચાઈ જશે જે તમે હકીકતે નથી કરવા માંગતા . આ પરિસ્થિતિ જો ચાલુ રહે , તો વ્યક્તિની અંદર ઘૂઘવાટ અને હતાશાની ભાવના વધતી જાય છે .તેને પરિણામે મિત્રતા અને સંબંધોમાં કડવાશ પણ આવી શકે છે .
આ પુસ્તકમાં ના કહેવાની  કળાની ઝીણવટથી જાણકારી આપવામાં આવી છે . તેમાં એવા અચૂક ઉપાયો બતાવવામાં આવ્યા છે જેને દૈનિક જીવનમાં અપનાવી કોઈ પણ વ્યક્તિ ના કહેવાની કળામાં  પારંગત બની શકે છે .અને પોતાનું જીવન ખુશહાલ બનાવી શકે છે .
જયારે તમે અસહમત હોવ અથવા જયારે તમારી મરજી ન હોય ત્યારે ….

·         બોસની બિનજરૂરી ઈચ્છાઓ

·         કાર્યસ્થળ પર અનુચિત વ્યવહાર

·         સયુંકત પરિવારોમાં સ્વાર્થની ટક્કર

·         મિત્રો-સગાસંબંધીઓની અનુચિત માંગણીઓ

·         સમય અને ક્ષમતા કરતા વધારે કાર્યની માંગણી

આવી તમામ પરિસ્થતિઓથી છુટકારો મેળવવાની કળા શીખવાડતું પુસ્તક

 

ફેબ્રુવારી 4, 2014 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , | Leave a comment

સમૃદ્ધિના નિયમો -Gujarati Translation of The Rules of Wealth


સમૃદ્ધિના નિયમો

રિચાર્ડ ટેંપલર

ધ રૂલ્સ ઓફ લાઈફના આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલિંગ લેખક

( Gujarati Translation of The Rules of Wealth by Richard Templar )

સમૃદ્ધિ માટેની અંગત અચાર – સંહિતા પૈસો -દુનિયાના ચક્રને એ ગતિમાન રાખે છે.ખાનગીમાં આપણે બધા જ માનીએ છીએ કે એ આપણને સુખી કરી શકે. છેવટે તો, શું એ મહાન વાત નથી કે તમારી પાસે એટલો પૈસો હોય કે તમારે કોઈ ચિંતા ન કરવી પડે ? તમારા સપનાનું ઘર કે કાર ખરીદવા માટે પુરતો પૈસો અથવા એટલા પૈસા હોય કે તમે કેટલો ખર્ચ કરો છો એની ફિકર ન કરવી પડે .તો સમૃદ્ધ લોકો ધનવાન કઈ રીતે બને છે ? શું એમનું નસીબ બળવાન છે ? કે પછી તેઓ એવું કશુક જાણે છે જે આપણે નથી જાણતા ?

હા, એવું જ છે તેઓ સમૃદ્ધિના નિયમો જાણે છે.

‘સમૃદ્ધિના નિયમો’ માં વર્તણૂકો, મનોવૃતિઓ, જીવનશૈલીઓ અને તમે વધારે ધનવાન, વધારે સુખી અને વધારે સમૃદ્ધ બનો એ માટેની નાણાંકીય કાર્યકુશળતાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

પૈસા બાબતે એક સરસ વાત એ છે કે પૈસો કોઈ ભેદભાવ રાખતો નથી.તમારો રંગ કયો છે,જાતિ કઈ છે, વર્ગ કયો છે,તમારા માં-બાપે શું કર્યું કે પછી તમારા પોતાના માટે તમે શું વિચારો છો- આ બધાની પૈસો કોઈ ચિંતા કરતો નથી .એક એક દિવસ કોરી સ્લેટ સાથે આરંભાય છે.જેથી કરીને તમે ગઈકાલે ગમે તે કર્યું હોય પણ આજની શરૂઆત તદ્દન નવેસરથી કરી શકો છો. તમારે જેટલું જોઈએ તેટલું મેળવવા માટે તમારી પાસે બીજાઓ જેટલા જ અધિકારો અને તકો ઉપલબ્ધ છે જ . -કોઈ પણ માણસ શ્રીમંત બની શકે છે – તમારે માત્ર તમારી જાતને એમાં જોડવાની છે.બાકીના બધા જ નિયમો એ જોડાણ માટેના છે.

ધ રૂલ્સ ઓફ લાઈફ

BUY THE BOOK

ડિસેમ્બર 19, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો, વિશ્વ સાહિત્ય | , , | Leave a comment

હિટલરની આત્મકથા ‘Mein Kampf’ નો ગુજરાતી ભાવાનુવાદ


‘Mein Kampf’ Gujarati Translation

મારો સંઘર્ષ – એડોલ્ફ હિટલર

હિટલરની આત્મકથા ‘Mein Kampf’ નો ગુજરાતી ભાવાનુવાદ

અનુવાદ: ડો.બી.ડી.ઠાકર

મારી આ આત્મકથા અપરિચિતો માટે જ નહીં, પરંતુ આંદોલનો સાથે સંકળાયેલા સૌ સહાનુભૂતિશીલ અનુયાયીઓ માટે પણ છે. આ અનુયાયીઓના સમગ્ર મનહ્રદય આની સાથે ખૂબ ઊંડાણથી જોડાયેલા છે. અને તે સૌની ઇચ્છા આ આંદોલનની ગંભીરતાપૂર્વક જાણકારી મેળવવાની છે હું બરાબર જાણું છું કે ભાષણની જેટલી અસર પડે છે તેટલો પ્રભાવ લેખનનો નથી પડતો. કદાચ આજ કારણે બધા જ આંદોલનોનું સંચાલન લેખકોએ નહીં, પણ વક્તાઓએ સંભાળ્યુ હતું . પરંતુ તે સાથે આ સત્યનેય નકારી શકાતું નથી કે દરેક સિદ્ધાંતને કઠોર વાસ્તવની ભૂમિ પર પ્રસ્થાપિત કરવો તથા તેના પ્રચાર-પ્રસાર માટે તેને લિપિબદ્ધ કરવો પણ એટલો જ આવશ્યક છે.
——
એડોલ્ફ હિટલર
વિશ્વના ઈતિહાસમાં અનેક મહત્વાકાંક્ષી વ્યક્તિઓના ઉલ્લેખો મળે છે આ સૌ વ્યક્તિઓએ પોતાની ચોક્કસ અભિલાષાઓ પૂરી કરવા માટે વિશ્વસમ્રાટ બનવાના સપના સેવ્યાં .આ લોકોએ માત્ર સપના જ જોયા નહીં, પણ તે સપનાને સાકાર કરવા માટે વિષમ સંઘર્ષ પણ વેઠ્યો. પરંતુ કમભાગ્ય ! આજ સુધી એવી એક પણ વ્યક્તિનું અસ્તિત્વ પ્રકાશમાં નથી આવ્યું કે જેણે પોતાની મંજિલની નજીક પહોંચતાં
પહોંચતાં તો તેમનો સમગ્ર જીવનસંગ્રામ એક જ ઝાટકામાં ઉદ્દેશહીન બની ગયો અને તે સૌ ઈતિહાસમાં ઉદાહરણ બનીને જ રહી ગયા. આવી જ એક મહત્વકાંક્ષી વ્યક્તિનો જન્મ જર્મનીમાં થયો. આ વ્યક્તિ વિષમ સંજોગો સામે ઝુઝ્તો ઝુઝ્તો અંતે જર્મનીનો તાનાશાહ બન્યો અને માનવતાનો શત્રુ કહેવાયો. એ મહાન હસતી હતી ‘ એડોલ્ફ હિટલર ‘

શું ખરેખર વાસ્તવમાં હિટલર માનવતાનો દુશ્મન હતો ખરો ? પ્રસ્તુત પુસ્તક ‘મારો સંઘર્ષ’ ( ‘માઈન કામ્ફ’) એડોલ્ફ હિટલરની આત્મકથાના કેટલાક અંશોનો સરળ ગુજરાતી ભવાનુવાદ છે.આ ભાવાનુંવાદના વાંચનથી ઉપરના પ્રશ્નનો વાચકોને અચૂક જવાબ મળી રહેશે .


ડિસેમ્બર 15, 2011 Posted by | વિશ્વ સાહિત્ય | , , , | 2 ટિપ્પણીઓ

ચિકન સૂપ ફોર ધ સોલ -ઈન્ડિયન મધર


Chicken Soup For The Indian Mother Soul ( Gujarati Translation)

ચિકન સૂપ ફોર ધ સોલ -ઈન્ડિયન મધર

માતૃત્વની ભાવનાને ઉજાગર કરતી અને હૃદયના દ્વાર ખોલી નાખતી એકસો એક ટૂંકી વાર્તાઓ

જેક કેન્ફીલ્ડ* માર્ક વિક્ટર હાન્સેન* રક્ષા ભારડિયા

સાચે જ કંઇક એવું છે માતૃત્વમાં, જે એક સામાન્ય સ્ત્રીને અસાધારણ વ્યક્તિ બનાવે છે.’ ચિકન  સૂપ ફોર ધ સોલ: ભારતીય માં’ એ અસાધારણ માતૃત્વને અંજલી આપે છે.
જેમાં એક નિષ્ણાત, દયાળુ, પોષણ આપનાર, માર્ગદર્શક, કુશળ રસોઈ કરનાર અને સલાહકાર સમાયેલા છે. સ્ત્રીઓ એમના અત્યંત અંગત પ્રશ્નો અહીં વર્ણવે છે, ગર્ભ ધારણ કરવાના, બાળકને લગભગ ગુમાવી બેસવાના , ચમત્કારોના સાક્ષી બનવાના અને દાદીમાં-નાનીમા થવાના મોભાને માન અપાવવાના, હિંમત, સમર્પણ અને ભક્તિની વાર્તાઓ આ પુસ્તકમાં રજુ કરવામાં આવી છે, જે માતૃત્વના વાત્સલ્યને, લોકોના હૃદયમાં અને જીવનમાં સ્પર્શ કરે છે.અને સાચવી રાખે છે.

                   TO BUY THIS BOOK PLEASE CLICK ON FOLLOWING LINK

www.booksforyou.co.in


ડિસેમ્બર 4, 2011 Posted by | વિશ્વ સાહિત્ય | , , | Leave a comment

“હું મઝામાં છું” જીવનમંત્ર -વિકટ સમયમાંથી બહાર કેવી રીતે આવવું


“હું મઝામાં છું” જીવનમંત્ર -વિકટ સમયમાંથી બહાર કેવી રીતે આવવું

રયુહો ઓકાવા (મહાન જાપાની ગુરૂ ) -Ryuho Okawa

“I’M FINE” SPIRIT Now in Gujarati

અનુવાદ: ડો.હંસાબેન મો.પટેલ

પ્રસ્તુત પુસ્તકમાં જીવન સાફલ્યની સામગ્રી આપેલી છે. વિશ્વમાં વસતા બધાજ માણસો એનો ઉપયોગ કરી શકે તેમ છે સરળ ભાષામાં લખાયેલું આ પુસ્તક, જીવનને સુખને રસ્તે કેમ દોરી જવું એની સૂચનાઓ પૂરી પાડે છે.આ આધુનિક બાઈબલ, આધુનિક સુત્રો, જીવન વિશેનો અભ્યાસ અને જીવનને ઉધર્વ માર્ગે લઇ જવા માટે, ધાર્મિક અને જાતિગત મર્યાદાઓમાંથી ઉપર લઇ જાય છે.

નીતિશાસ્ત્રના શિક્ષણ માટેના પાઠ્યપુસ્તકની પૂર્તિ રૂપે આ પુસ્તકનો ઉપયોગ કરવાથી મને ખાત્રી છે કે વિદ્યાર્થીઓના ચારિત્ર્યને સુધારવા માટે તથા શૈક્ષણિક વિકાસ કરવામાં તેમને મદદરૂપ થશે.કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને કેળવણી આપવાના કાર્યક્રમમાં પણ ઉપયોગ થઇ શકે: અને કંપનીઓની સુધારણા કરવામાં એની નોંધપાત્ર અસર પડશે. ચાલો આપણે સૌ હકારાત્મક બની એવા માનવી બનવા પ્રયત્ન કરીએ, જે બધો સમય સ્મિત કરતા રહે, અને જયારે તેઓ કહે કે ” હું કુશળ છું ” ત્યારે ખરેખર સાર્થક હોય . આ પુસ્તક “આઈ એમ ફાઈન” સ્પિરિટ એ કોફી બ્રેક અને ટી ટાઇમ શીર્ષકવાળા પુસ્તકોમાંનું એક છે.

આજ સર્જકનું અન્ય પુસ્તક : મન જે માને ન હાર

VISIT SITE

નવેમ્બર 26, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , , | Leave a comment

ભારતની આવતીકાલ -નવી સદી માટેના ખ્યાલો


ભારતની આવતીકાલ

નવી સદી માટેના ખ્યાલો

નંદન નીલેકણી

GUJARATI TRANSLATION OF “IMAGING INDIA”

૧૯૦૦ના દાયકાની શરૂઆતથી ભારતમાં જબરજસ્ત સામાજિક, રાજકીય અને સંસ્કૃતિક બદલાવો આવ્યાં છે.દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ ભારત અનેક વિવિધતાઓથી પણ ભરપુર છે.તેનું અર્થતંત્ર સૌથી વધુ ઝડપથી વિકસી રહ્યું છે.અને એટલે જ આઝાદીના ૬૦ વર્ષો બાદ ભારતની ગણના ઉભરતા ‘સુપર પાવર’ તરીકે થઇ રહી છે..

થોડામાં ઘણું કહી જતા આ પુસ્તકમાં આ દેશના જ એક કુશળ અને ક્રિયાશીલ વ્યક્તિએ આધુનિક ભારતને ઘાટ આપતા મુખ્ય વિચારને પોતાની રીતે તપાસ્યો છે.

નંદન નીલેકણી જેઓ ઇન્ફોસીસના સહસ્થાપક છે અને જેઓ ભારતની વિકાસગાથામાં ચાવીરૂપ વ્યક્તિ છે.

નેશનલ બેસ્ટસેલર આ પુસ્તક દરેક વિદ્યાર્થીએ તથા તમામ યુવાનોએ અચૂક વાંચવા જેવું પુસ્તક .

VISIT SITE

નવેમ્બર 24, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , , , | Leave a comment

જીવનમાં હાસ્ય અને હાસ્યમાં જીવન શ્રેણી -Shahbuddin Rathod Books


Shahbuddin Rathod Books

વાહ દોસ્ત વાહ  – અમે મહેફિલ  જમાવી છે – સબસે ઊંચી પ્રેમસગાઇ

વાહ દોસ્ત વાહ

શાહબુદ્દીન રાઠોડ
 

 

 

 

અમે મહેફિલ  જમાવી છે

શાહબુદ્દીન રાઠોડ

 

 

 

                            સબસે ઊંચી પ્રેમસગાઇ

શાહબુદ્દીન રાઠોડ

 

 

 

 

જીવનમાં હાસ્ય અને હાસ્યમાં જીવન શ્રેણી

જે રીતે માં પોતાના બાળકને હસતાં-હસાવતાં દવાનો ઘૂંટ પીવડાવી દે એટલી સહજતાથી શાહબુદ્દીનભાઈ પોતાના વાચકને આગવી હાસ્યશૈલીમાં જીવનની ખટમધુરી અનુભૂતિઓનું રસપાન કરાવતા રહ્યા છે.તેમનું હાસ્ય દરેકને અનાયાસ હસાવી દે તેવું સહજ છે.તેમણે પ્રત્યેક માણસમાં ઈશ્વરને જોયો છે.માર્મિક હાસ્ય પેદા કરવામાં બીરબલ અને જ્યોતીન્દ્ર દવે પછી તેમનું નામ અચૂક લેવું પડે.

હાસ્યને જીવનદર્શનની હાઇટ આપી હોવાને કારણે પ્રત્યેક વાચકના એ ગમતીલા હાસ્યકાર છે. અનુભવની વ્યાખ્યા આપતાં એ કહે છે : સંપતિ મેળવવામાં સ્વાસ્થ્યનો ભોગ આપવો પડે છે,પછી સ્વાસ્થ્ય પાછું મેળવવા સંપતિનો ભોગ આપવો પડે છે.બંનેમાંથી કંઈ નથી રહેતું ત્યારે જે વધે છે તે અનુભવ કહેવામાં આવે છે.

આ પુસ્તક દરેક વાચકને,શાહબુદ્દીનભાઈ સાથે સીધો સંવાદ સાંધી આપી,જિંદગીના ઝંઝાવાતમાં બે ઘડી હળવાશનો શ્વાસ ભરતો કરી દઈ, જિંદગી જીવવાની પ્રેરણા આપશે એમાં શંકાને સ્થાન નથી.

 

જીવનમાં હાસ્ય અને હાસ્યમાં જીવન શ્રેણી -અન્ય પુસ્તકો

  • અમે મહેફિલ જમાવી છે.
  • સબસે ઊંચી પ્રેમસગાઇ
  • વાહ દોસ્ત વાહ

નવેમ્બર 6, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , , , , | Leave a comment

Surely You Are Joking Mr. Feynman (Gujarati Translation) એક નટખટ જિનિયસનાં પરાક્રમો


શ્યોરલી યુ આર જોકિંગ મિ. ફેયનમેન

Richard Feynman

Surely You Are Joking Mr. Feynman (Gujarati Translation)

ભાવાનુવાદ : લલિત લાડ

એક નટખટ જિનિયસનાં પરાક્રમો

સાયન્સમાં રસ ધરાવતા તમામ યુવાનોએ અચૂક વાંચવા જેવું પુસ્તક .

VISIT SITE

એક નટખટ પ્રોફેસરના સંખ્યાબંધ રમૂજી અનુભવો અને થોડાં ગંભીર નિરીક્ષણો ….

તેમના પોતાના શબ્દોમાં.

રિચર્ડ ફેયનમેન નોબેલ પ્રાઇઝ વિજેતા હતા (ફિઝિક્સ ,૧૯૫૬). તે દુનિયાના શ્રેષ્ઠતમ ફિઝિસ્ટોમાંના એક હતા .પરંતુ તેમની જિંદગી અનેક નટખટ પરાક્રમોથી ભરપૂર હતી. તે જિનિયસ હોવા ઉપરાંત એક કલાકાર હતા, સેફ્નાં તાળાં ખોલનાર બાજીગર અને અચ્છા નાટકબાજ હતા.કોઈ માણસની જિંદગીમાં આટઆટલી અદભુત અને ગમ્મતભરી ઘટનાઓ બની શકે એ માન્યામાં ન આવે તેવું છે.

ન્યુયોર્ક ટાઈમ્સ બેસ્ટસેલર

નવેમ્બર 6, 2011 Posted by | વિશ્વ સાહિત્ય | , , , | Leave a comment

युध्ध की 33 रणनीतियाँ


युध्ध की 33 रणनीतियाँरोबर्ट ग्रीन

( संक्षिप्त संस्करण )

(Hindi Translation of The 33 Strategies of War by Robert Green)

 

इस पुस्तक में बेस्ट्सेलिंग लेखक रोबर्ट ग्रीन ने ऐसी उत्कृष्ट युध्ध रणनीतियों का वर्णन किया है , जो आधुनिक युग में अपना प्रभुत्व स्थापित करने में हमारी मदद कर सकती है ।

  1. भले ही छोटी-मोटी लड़ाईयां हार जाएँ, लेकिन निर्णायक युध्ध जीत ले: विराट रणनीति
  2. अपने शत्रु को जाने : गुप्तचर रणनीति
  3. अंदर से नस्ट करें : आंतरिक मोर्चे की रणनीतियाँ ….

साथ ही ३० अन्य रणनीतियाँ….

यह पुस्तक आपको वे सारे मनोवैज्ञानिक हथियार प्रदान करती है,जो असफलता के चक्र से बाहर आने और हमेशां सबसे आगे रहने के लिए अनिवार्य है

www.booksforyou.co.in

ઓક્ટોબર 5, 2011 Posted by | हिंदी पुस्तकें | , | Leave a comment

અંતિમ પ્રયાણ : પંચાવન નામાંકિત વ્યક્તિઓના જીવનની અંતિમ પળોનું નિરૂપણ


અંતિમ પ્રયાણ : પંચાવન નામાંકિત વ્યક્તિઓના જીવનની અંતિમ પળોનું નિરૂપણ

એમ.વી .કામથ

 

અનુવાદક : કાલિન્દી રાંદેરી

વિલિયમ શેકસપિયર, આલ્બર્ટ આઈન્સટાઇન,મહાત્મા ગાંધી,સ્વામી વિવેકાનંદ સહીત પંચાવન નામાંકિત વ્યક્તિઓના જીવનની અંતિમ પળોનું રસપ્રદ અને ચિંતનાત્મક નિરૂપણ

www.booksforyou.co.in

ઓક્ટોબર 4, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , , , | Leave a comment