T.A.શીખો જિંદગી જીતો
જિંદગીની શતરંજમાં , પાસા એવા પાડો, જીતો બાજી તમે , છતાં એને પણ જીતાડો.
જિંદગી એક મહાનાટય છે. એમાં પણ એન્ટ્રી , મધ્ય ભાગ અને એક્ઝિટ હોય છે. એ નાટકમાં આપણી પટકથાનું મોટા ભાગનું લખાણ આપણા જન્મ પછીના પહેલા પાંચ વર્ષમાં જ લખાઈ ચુક્યું હોય છે. બાકીનો અઢાર વર્ષની ઉમર થતા સુધીમાં આપણે જાતે જ જાણ્યે અજાણ્યે લખી નાખ્યે છે. અને પછી આપણે એ પટકથાને જીવવાનું શરૂ કરીએ છીએ .- એને સંપૂર્ણ વફાદાર રહીને જ . જેવી પટકથા , એવું જ જીવન . આપણી સફળતા-નિષ્ફળતા -હાર-જીત એ બધું જ આપણી પટકથા મુજબનું હોય છે.
આપણી પટકથા એ જ આપણાં વ્યક્તિત્વનું રહસ્ય છે. જો જિંદગી જીતવી હોય, જિંદગીમાં બદલાવ જોઈતો હોય તો પટકથા બદલવી પડે. તમે એ કામ કરી શકો તેમ છો. પણ પડકાર એ છે કે આ પટકથા અદ્રશ્ય હોય છે. T.A.ની મદદથી આપણે આપણી આ પટકથા જાણી શકીએ છીએ અને એને બદલી પણ શકીએ છીએ .જિંદગીને એ લોકો જ જીતી શકે છે કે જેની પટકથા એક વિજેતાની હોય.